Get App

પેસેન્જરના મોબાઈલમાં બ્લાસ્ટ થતાં Air Indiaની ફ્લાઈટમાં અફરાતફરી, ઉદયપુરમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

Air India: રાજસ્થાનના ઉદયપુરથી રાજધાની દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એ સમયે હંગામો મચી ગયો જ્યારે એક યાત્રીના મોબાઈલની બેટરી પ્લેનમાં જ બ્લાસ્ટ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ ટેકઓફ કરતી વખતે પેસેન્જરનો મોબાઈલ ફાટ્યો હતો, ત્યારબાદ ઉદયપુરમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ તમામ 140 મુસાફરો સુરક્ષિત છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 17, 2023 પર 6:13 PM
પેસેન્જરના મોબાઈલમાં બ્લાસ્ટ થતાં Air Indiaની ફ્લાઈટમાં અફરાતફરી, ઉદયપુરમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગપેસેન્જરના મોબાઈલમાં બ્લાસ્ટ થતાં Air Indiaની ફ્લાઈટમાં અફરાતફરી, ઉદયપુરમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પેસેન્જરના મોબાઈલમાં બ્લાસ્ટ થવાની આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 470માં બની હતી.

રાજસ્થાનના ઉદયપુરથી રાજધાની દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એ સમયે ખળભળાટ મચી ગયો જ્યારે વિમાનમાં જ એક યાત્રીના મોબાઈલની બેટરી બ્લાસ્ટ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ ટેકઓફ કરતી વખતે પેસેન્જરનો મોબાઈલ ફાટ્યો હતો, ત્યારબાદ ઉદયપુરમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ તમામ 140 મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉદયપુરના ઉદયપુર ડાબોક એરપોર્ટથી ફ્લાઇટ દિલ્હી માટે ઉડાન ભરી હતી ત્યારે આ ઘટના બની હતી. આ પછી તરત જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પેસેન્જરના મોબાઈલમાં બ્લાસ્ટ થવાની આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 470માં બની હતી. એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ ટેકઓફ થયાના થોડી જ વારમાં એક મુસાફરના મોબાઈલની બેટરીમાં અચાનક વિસ્ફોટ થઈ ગયો. આ બ્લાસ્ટને કારણે પ્લેનમાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ પછી તરત જ ફ્લાઈટનું ઉદયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્રણથી ચાર મુસાફરો ફ્લાઇટમાંથી બહાર નીકળી ગયા હતા અને ફરીથી પ્લેનમાં ચઢવાની ના પાડી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો