રાજસ્થાનના ઉદયપુરથી રાજધાની દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એ સમયે ખળભળાટ મચી ગયો જ્યારે વિમાનમાં જ એક યાત્રીના મોબાઈલની બેટરી બ્લાસ્ટ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ ટેકઓફ કરતી વખતે પેસેન્જરનો મોબાઈલ ફાટ્યો હતો, ત્યારબાદ ઉદયપુરમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ તમામ 140 મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉદયપુરના ઉદયપુર ડાબોક એરપોર્ટથી ફ્લાઇટ દિલ્હી માટે ઉડાન ભરી હતી ત્યારે આ ઘટના બની હતી. આ પછી તરત જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

