Most Powerful Army: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ફરી એકવાર તણાવપૂર્ણ બન્યા છે. ભારતે પાકિસ્તાન સામે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સહિત અનેક કડક પગલાં લીધાં છે, જ્યારે પાકિસ્તાને પણ ભારતને કડક જવાબ આપવાના દાવા કર્યા છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે ભારત પાકિસ્તાન સાથેનો 2021નો સીઝફાયર કરાર ખતમ કરવાનું વિચારી રહ્યું છે, જોકે આ અંગે હજુ સત્તાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. આ તણાવની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ પર “ખૂબ નજીકથી અને ચિંતા સાથે” નજર રાખવાની વાત કહી છે.

