ચારધામ યાત્રા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્ત્વની માનવામાં આવે છે. ઉત્તરાખંડમાં આવેલા ચાર પવિત્ર ધામો - ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ - ની આ યાત્રા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. આ વર્ષે 2025માં ચારધામ યાત્રા અપ્રિલના અંતથી શરૂ થવા જઈ રહી છે. જે શ્રદ્ધાળુઓ આ યાત્રામાં શારીરિક રીતે હાજર રહી શકે તેમ નથી, તેઓ ઘરે બેઠાં ઓનલાઈન પૂજા બુકિંગની સુવિધા મેળવી શકે છે.

