Communal Tension in Haryana: પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે હરિયાણાના નૂહ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) ની મુલાકાતને રોકવાનો પ્રયાસ કર્યા પછી ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. નૂહમાં હિંસા બાદ દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુડગાંવના સેક્ટર-57માં એક મસ્જિદ પર ટોળાના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે મંગળવારની વહેલી સવારે 70-80 લોકોના ટોળાએ કથિત રીતે મસ્જિદને આગ લગાવી દીધી હતી અને નાયબ ઈમામની હત્યા કરી હતી. અધિકારીઓએ મંગળવારે નુહ જિલ્લામાં કર્ફ્યુ લાદ્યો હતો. સોમવારે નૂહમાં હિંસા દરમિયાન બે હોમગાર્ડ જવાન શહીદ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

