Dhanteras 2023: ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. તેરસ પર પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો સોનુ, ચાંદી, આભૂષણ, મકાન, વાહન વગેરે ખરીદે છે. ધનતેરસ પર માતા લક્ષ્મી અને ધનના અધિપતિ કુબેરની પૂજા કરવામાં આવે છે, જેનાથી વર્ષમાં ધનનું સંકટ ન થાય અને આર્થિક સ્થિતિ મજબૂત રહે. કાશીના જ્યોતિષચાર્ય ચક્રપાણી ભટ્ટ પાસે જાણીએ કે આ વર્ષે ધનતેરસ ક્યારે છે? ધનતેરસ પર લક્ષ્મી પૂજાનું મુહૂર્ત ક્યારે છે? ધનતેરસ પર સોનુ ખરીદવાનો યોગ્ય સમય શું છે?

