યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા અને શાંતિ સ્થાપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે 15 ઓગસ્ટે અલાસ્કામાં થનારી શિખર બેઠકને ભારતે સમર્થન આપ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું કે આ બેઠક યુક્રેન સંઘર્ષનો અંત લાવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. પરંતુ આ ઘોષણાથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સકી નારાજ થયા છે, જેમણે કહ્યું કે યુક્રેનને બાદબાકી રાખીને કરવામાં આવેલો કોઈ પણ શાંતિ કરાર નિષ્ફળ જશે.