કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તિબેટ અને નેપાળની બોર્ડર પર અચાનક આવેલા ભયાનક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ પૂરમાં 130 થી વધુ ભારતીય શ્રદ્ધાળુઓ ગુમ થયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત ઈશા ફાઉન્ડેશને દાવો કર્યો છે કે, તેમના સંગઠન સાથે જોડાયેલા 80 સભ્યો (77 તીર્થયાત્રીઓ અને 3 સ્વયંસેવકો) ઈમિગ્રેશન સેન્ટર પરથી ગુમ થઈ ગયા છે.

