ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના રાજકીય તણાવ બાદ ભારતીય પ્રવાસીઓએ તુર્કી અને અઝરબૈજાનની મુસાફરી ટાળવાનો નિર્ણય લીધો છે, જેના પરિણામે આ બંને દેશો માટે વિઝા એપ્લિકેશનમાં 42 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મ Atlysએ મંગળવારે આ આંકડા જાહેર કર્યા. આ ઘટાડાનું મુખ્ય કારણ તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલું ખુલ્લું સમર્થન છે, જે ભારતીય પ્રવાસીઓને નાગવ્યું નથી.