Lal Bahadur Shastri Jayanti: લાલ બહાદુર શાસ્ત્રીજી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબરના રોજ થયો હતો. ગાંધી જયંતિની સાથે આ દિવસે શાસ્ત્રીજીની જન્મજયંતિ પણ ઉજવવામાં આવે છે. લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન સાદગી, પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું આદર્શ ઉદાહરણ છે. જવાહરલાલ નેહરુના નિધન બાદ દેશને નવા વડાપ્રધાનની જરૂર હતી. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીનું નામ સામે આવ્યું. દેશના વડાપ્રધાન પદ પર રહીને તેમણે પોતાની ફરજ સારી રીતે નિભાવી હતી. લાલ બહાદુર શાસ્ત્રીજી એવા વડાપ્રધાન હતા. જેણે દેશને જય જવાન, જય કિસાનનો નારા આપ્યો હતો. તેને રાષ્ટ્રીય સૂત્ર કહેવામાં આવે છે.

