મહારાષ્ટ્રમાં હવે તહેવારો દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓમાં થતી ભેળસેળને રોકવા માટે બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ હવે દરેક તહેવાર માટે અલગ-અલગ આદેશ કાઢવાને બદલે, આખા વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર માટે સળંગ એક જ માર્ગદર્શિકા જાહેર કરી છે.

