MANIPUR VIOLENCE: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું કે મણિપુરમાં થયેલી હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં ન્યાયિક પંચ હિંસાની તપાસ કરશે. શાહે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની વિશેષ ટીમ હિંસાના 6 કેસોની તપાસ કરશે. આ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. 10 લાખના વળતરમાંથી 5 લાખ રૂપિયા મણિપુર સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. અમિત શાહે લોકોને અપીલ કરી હતી કે જેમની પાસે ગેરકાયદેસર હથિયારો છે તેઓ તેને તાત્કાલિક જમા કરાવે નહીંતર કડક કાર્યવાહી કરવામાં આવશે.

