PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે (24 માર્ચ) રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન અત્યંત મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. બપોરે 2 વાગ્યે શરૂ થયેલા તેમના ભાષણમાં પીએમ મોદીએ ભારતની વધતી જતી તાકાત, આત્મવિશ્વાસ અને વૈશ્વિક પડકારો સામે ભારતની રણનીતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. જોકે, તેમના સંબોધનનો મુખ્ય કેન્દ્રબિંદુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ અને તેની ભારતની એનર્જી સિક્યોરિટી પર પડનારી અસરો હતી. પીએમ મોદીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે ભારત પડકારોથી ડરતું નથી, પરંતુ તેનો મક્કમતાથી સામનો કરી રહ્યું છે.

