Ayodhya Mandir: યોગી આદિત્યનાથ સરકાર અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પરિસરમાં કમળના આકારનો વિશાળ ફુવારો લગાવવા જઈ રહી છે. 100 કરોડની કિંમતનો આ ફુવારો તેના ખાસ મલ્ટીમીડિયા શો માટે જાણીતો હશે. લગભગ 25,000 લોકો એક સાથે આ ફાઉન્ટેન પર શોનો આનંદ માણી શકશે. તેની આસપાસ એમ્ફી થિયેટર જેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. યોજના મુજબ આ નવો ફુવારો ગુપ્તાઘાટ અને નયાઘાટ પાસે બનાવવામાં આવશે. 20 એકરમાં ફેલાયેલ આ ફુવારો 50 મીટરની ઉંચાઈ સુધી પાણી ફેંકશે. ફાઉન્ટેન કોમ્પ્લેક્સ લોકોને આધ્યાત્મિક અનુભવ આપશે. શ્રી રામ મંદિરમાં વિવિધ રીતે પાણીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

