અયોધ્યાના રામ મંદિરના સંચાલનને લઈને એક મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે રામ મંદિર ટ્રસ્ટના નવા CEO તરીકે કોને જવાબદારી સોંપવામાં આવશે. અંતે 2 સપ્ટેમ્બરના રોજ આ અંગેનો મોટો નિર્ણય લેવાઈ ગયો છે. રિટાયર્ડ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા હવે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO તરીકેનો કાર્યભાર સંભાળશે.

