Banke Bihari Temple : મથુરાના પ્રખ્યાત વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારી મંદિરમાં આવતા ભંડોળ અને દાનને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલો એક-એક પૈસો સીધો મંદિરના ખજાનામાં જ જવો જોઈએ.

