World Kidney Day 2024: ભારતમાં 10 ટકા લોકો કિડનીની બિમારીનો શિકાર છે. મોટાભાગના દર્દીઓને તેમના રોગ વિશે ખૂબ જ મોડી ખબર પડે છે અને તેના કારણે કિડની ફેલ્યરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. એઈમ્સ દિલ્હીના નેફ્રોલોજી વિભાગના અધ્યક્ષ ડૉ. ભૌમિકના જણાવ્યા અનુસાર, કિડની સાથે સૌથી મોટો પડકાર એ છે કે તેના નુકસાનની જાણ એટલી મોડી થાય છે કે 70% દર્દીઓમાં સાજા થવાની સંભાવના ઓછી છે. AIIMSના રિપોર્ટ અનુસાર, ભારતમાં 7% લોકો પેઈન કિલરનું સેવન કરીને તેમની કિડનીને નુકસાન પહોંચાડી રહ્યા છે.

