ગુજરાત અને બિહાર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે રેલવે વિભાગે એક ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતના મોટા આર્થિક કેન્દ્ર 'અમદાવાદ' અને બિહારની સિલ્ક સિટી 'ભાગલપુર' વચ્ચે એક નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. ઈસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર, આ નવી ટ્રેનથી તહેવારો અને સામાન્ય દિવસોમાં મુસાફરોની વધતી જતી ભીડને પહોંચી વળવામાં મોટી મદદ મળશે.

