રાધારમણ દાસનો દાવો છે કે બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ અન્ય એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પૂજારીની વાત કરીએ તો તેમનું નામ શ્યામ દાસ પ્રભુ હોવાનું જણાયું છે. અહેવાલો અનુસાર, શ્યામ દાસ પ્રભુ જેલમાં બંધ ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા હતા, તે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.

