બલૂચિસ્તાનના પ્રખ્યાત નેતા મીર યાર બલોચે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની ઔપચારિક જાહેરાત કરી છે. આ ઘોષણા સાથે તેમણે ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને બલૂચિસ્તાનના સ્વતંત્રતા સંઘર્ષને સમર્થન આપવાની ભાવનાપૂર્ણ અપીલ કરી છે. બલોચ નેતાએ પાકિસ્તાન દ્વારા દાયકાઓથી ચાલતી હિંસા, જબરદસ્તી ગુમ થયેલા લોકો અને માનવાધિકાર ઉલ્લંઘનોને આ નિર્ણયનું મુખ્ય કારણ ગણાવ્યું છે.

