જો તમે દિલ્હી-NCR થી ઉત્તરાખંડ અને ચારધામની યાત્રા કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર છે. આવનારા સમયમાં દિલ્હીથી ઋષિકેશનો પ્રવાસ માત્ર 2.5 કલાકમાં પૂરો કરી શકાશે. આટલું જ નહીં, કર્ણપ્રયાગ સુધી પહોંચવામાં જ્યાં સડક માર્ગે 12 થી 13 કલાકનો સમય લાગે છે, તે મુસાફરી માત્ર 5 થી 6 કલાકમાં પૂરી થઈ જશે.

