Delhi Floods: યમુના નદીનું જળસ્તર ઘટ્યા બાદ ધીમે ધીમે જનજીવન પાટા પર આવી રહ્યું છે. ઉત્તર દિલ્હીના લોકો તેમની દુકાનો અને ઘરોમાં પાછા ફરવા લાગ્યા છે. પૂરના કારણે આ લોકો પોતાના ઘર અને દુકાનો છોડીને સલામત સ્થળે ખસી ગયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે પાણી ઓછું થવા લાગ્યું છે. હવે લોકો રાહત શિબિરોમાંથી પોતાના ઘરે પરત ફરશે. તેમનું જીવન સામાન્ય થવામાં આપણે તેમને મદદ કરવી પડશે. હું તમામ લોકોને તન, મન અને ધનથી લોકોને મદદ કરવા અપીલ કરું છું. આ પુણ્યનું કામ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે એટલે કે સોમવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

