Gyanvapi Mosque Survey: અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની એક ટીમે શુક્રવારે સવારે વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલનો સર્વે શરૂ કર્યો હતો. હિંદુ પક્ષના વકીલ મદન મોહન યાદવે પીટીઆઈને જણાવ્યું કે 43 સભ્યોની ASI ટીમ શુક્રવારે સવારે 7 વાગ્યાની આસપાસ જ્ઞાનવાપી કેમ્પસમાં દાખલ થઈ અને કામ શરૂ કર્યું. સર્વેની કામગીરી પાંચ-છ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે આ દરમિયાન હિંદુ અરજીકર્તાઓ તેમના વકીલો સાથે સ્થળ પર હાજર છે.

