Nuh Violence: હરિયાણાના નૂહ જિલ્લામાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા હવે ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ છે, જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી 20 કિમીથી ઓછા દૂર છે. ગુરુગ્રામના બાદશાહપુરમાં ટોળાએ આગચંપી શરૂ કરી દીધી હતી. બાદશાહપુરમાં મંગળવારે બપોરે ટોળાએ એક દુકાનને આગ ચાંપી દીધી હતી અને તેની બાજુમાં આવેલી દુકાનોમાં તોડફોડ કરી હતી. ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર હાજર હતો. પોલીસે ભીડને કાબુમાં કરી તેમને ભગાડી દીધા હતા. વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના સરઘસ પર હુમલા બાદ પડોશી નુહ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યાના એક દિવસ બાદ હિંસાની તાજેતરની ઘટના બની હતી.

