આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. જે સમયે આ ભાગદોડ થઈ, તે સમયે તિરુપતિના વિષ્ણુ નિવાસમ પાસે ટોકન મેળવવા માટે લગભગ 4 હજાર લોકોની ભીડ એકઠી થઈ હતી. ટોકનનું વિતરણ કરતી વખતે આ દુર્ઘટના થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

