India-Canada Tensions News: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધુ વધી રહ્યો છે. તાજેતરમાં જ બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. આનો અર્થ એ થયો કે હવે કેનેડાના નાગરિકોને આગામી આદેશ સુધી ભારતના વિઝા નહીં મળે. ગયા અઠવાડિયે જ ટ્રુડો જી-20માં ભાગ લેવા ભારત આવ્યા હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે.

