કેન્દ્રીય બજેટ 2025-26 નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. જેમાં ભારતના પડોશી દેશો માટે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે નવી દિલ્હીથી ઢાકા માટે 120 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. જો કે, રકમમાં એક પૈસાનો પણ વધારો ન કરીને ભારતે મોહમ્મદ યુનુસ સરકારને કડક મેસેજ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગત વર્ષથી તણાવની સ્થિતિ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ વિરુદ્ધ ઘણી હિંસા થઈ હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. જેના કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સ્થિતિ તંગ બની ગઈ હતી.

