India-US Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વ્યાપાર કરાર (Trade Deal) થવા જઈ રહ્યો છે. આ ડીલ પર આખી દુનિયાની નજર છે, પરંતુ ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે એક રાહતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, ભારત સરકાર આ ડીલમાંથી એગ્રીકલ્ચર (ખેતી) અને ડેરી (દૂધ) ની પ્રોડક્ટ્સને બહાર રાખી શકે છે. ભારત શરૂઆતથી જ આ બંને ક્ષેત્રોને લઈને ખૂબ સંવેદનશીલ રહ્યું છે અને કોઈ પણ વિદેશી કરારમાં આ સેક્ટરને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે.

