RBI Governor: ભારતીય અર્થતંત્રને લઈને એક ખૂબ જ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે ભલે દુનિયાભરમાં આર્થિક માહોલ ડામાડોળ હોય, પરંતુ ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મજબૂત ઘરેલુ માંગ અને રોકાણના જોરે ભારતીય અર્થવ્યવસ્થા ઉચ્ચ વૃદ્ધિ દર હાંસલ કરવા માટે તૈયાર છે.

