India-Canada Tensions: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર પર આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. ભારતે કેનેડાના આરોપોને "વાહિયાત" અને "પ્રેરિત" ગણાવીને ફગાવી દીધા છે. દરમિયાન, ભારતના કડક વલણ બાદ ટ્રુડો હવે નરમ બન્યા છે. ટ્રુડોએ કહ્યું છે કે તેમનો દેશ ભારત સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવા માટે ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું કે ભારતની આર્થિક તાકાત વધી રહી છે અને તે એક મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ભાગીદાર છે. પરંતુ તે ઈચ્છે છે કે ભારત ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે સમગ્ર સત્ય બહાર લાવવા માટે કેનેડા સાથે કામ કરે.

