Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ રેલવેએ તેની કામગીરી બદલવાની તૈયારી કરી લીધી છે. 2 જૂને ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રેલવે બોર્ડે તેની તમામ સિગ્નલિંગ સંપત્તિઓમાં ડબલ-લોકિંગ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આટલું જ નહીં, રેલ્વે બોર્ડે મેઈન્ટેનન્સના કામ પછી ટ્રેનોની અવરજવર શરૂ કરવા માટે પ્રોટોકોલને વધુ મજબૂત બનાવવાની સૂચનાઓ પણ જારી કરી છે.

