Nepal flash flood : નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરને કારણે ચારેબાજુ ભારે તારાજી સર્જાઈ છે. પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાઈ ગયા છે અને મોટા પાયે રાહત તેમજ બચાવ કામગીરી ચાલી રહી છે. આ કુદરતી આફતમાં માનસરોવર યાત્રાએ ગયેલા ઘણા ભારતીયો પણ ફસાયા છે, જેના માટે સરકારે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

