વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહ્યું કે તેમની સરકાર કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે વાર્ષિક રૂપિયા 6.5 લાખ કરોડનો ખર્ચ કરી રહી છે, જેના કારણે દરેક ખેડૂતને વાર્ષિક રૂપિયા 50,000નો લાભ મળી રહ્યો છે. ચૂંટણી ગેરંટીના મુદ્દે કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર માત્ર વચનો જ નથી આપતી, પરંતુ તેને પુરા પણ કરે છે. તેમણે કહ્યું કે આ માત્ર વચન નથી પરંતુ 'મોદીની ગેરંટી' છે.

