New Parliament Building: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા સચિવાલયે ગુરુવાર, 18 મેના રોજ જારી એક નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. લોકસભા અધ્યક્ષે કહ્યું કે નવા સંસદ ભવનનું નિર્માણ હવે પૂર્ણ થયું છે અને નવી ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતિક છે. માર્ચની શરૂઆતમાં, પીએમ મોદીએ ત્યાં ચાલી રહેલા કામની સમીક્ષા કરવા માટે નવી ઇમારતની મુલાકાત લીધી હતી અને કામદારો સાથે વાતચીત કરી હતી.

