Get App

Sardar Vallabhbhai Patel stadium: સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ

Sardar Vallabhbhai Patel stadium: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની વિચારણા કરી રહી છે. સ્ટેડિયમને મલ્ટી-સ્પોર્ટ સુવિધામાં રૂપાંતરિત કરીને 2036માં ઓલિમ્પિક્સ માટે હોસ્ટિંગ સ્થળ તરીકે તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 17, 2023 પર 8:02 PM
Sardar Vallabhbhai Patel stadium: સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચSardar Vallabhbhai Patel stadium: સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ
Sardar Vallabhbhai Patel stadium: 2036માં ઓલિમ્પિક્સ માટે હોસ્ટિંગ સ્થળ તરીકે તૈયાર કરવાનો ઉદ્દેશ્ય

Sardar Vallabhbhai Patel stadium: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદાજિત રૂપિયા 180 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) ક્રિકેટ સ્ટેડિયમને અપગ્રેડ કરવા વિચારી રહી છે. પ્રખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ કોરેઆ દ્વારા ડિઝાઇન કરાયેલ, સ્ટેડિયમમાં 1981માં ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોવા મળી હતી. સ્ટેડિયમને 2036માં ઓલિમ્પિક્સ માટે યજમાન સ્થળ તરીકે તૈયાર કરવા માટે તેને બહુ-રમત સુવિધામાં રૂપાંતરિત કરવાનો ઉદ્દેશ્ય છે. ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા આતુર છે.

નિષ્ણાતો પણ માને છે કે સ્ટેડિયમને હેરિટેજના દૃષ્ટિકોણથી સુરક્ષિત રાખવું જોઈએ. સ્ટેડિયમનું ઐતિહાસિક મહત્વ હોવા છતાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ માને છે કે સ્ટેડિયમનો ઘણા વર્ષોથી ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને અપગ્રેડ કરવાના પ્રયાસો સફળ થયા નથી. કોર્પોરેશનની સ્થાયી સમિતિ સમક્ષ આખરી નિર્ણય પડતર છે.

પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક ટોચના સરકારી અધિકારીએ કહ્યું- અમે રોમમાં કોલોસિયમ જેવી સંરચનાનું જોખમ ઉઠાવી શકતા નથી આટલા મોટા માળખાને જાળવવા માટે જાળવણીનો મોટો ખર્ચ થાય છે. સ્ટેડિયમ રમતગમતના હેતુઓ માટે હતું અને જો તે આ ઉદ્દેશ્યને સંપૂર્ણ રીતે પરીપુર્ણ કરી શકતું નથી, તો અમારી પાસે તેના પુનર્વિકાસ પર વિચાર કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. આ રાષ્ટ્રીય ધરોહર નથી. આગામી કેટલાક મહિનામાં AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

કોર્પોરેશને સ્ટેડિયમના સંરક્ષણ વ્યવસ્થાપન યોજના સાથે સંકળાયેલા નિષ્ણાતોને આગામી થોડા અઠવાડિયામાં તેમના તારણો સબમિટ કરવા જણાવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. તે મૂળરૂપે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં 1982માં મોટેરામાં નજીકના સ્ટેડિયમના નિર્માણ પછી સ્થાનિક ક્રિકેટ સીઝન માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે અને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લગભગ 10 કિમી દૂર છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો