કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે દેશવાસીઓને ભરોસો આપ્યો કે કોઈપણ દેશ સાથેના વેપાર સમજૂતી પર હસ્તાક્ષર ભારતના સર્વોચ્ચ હિતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. પીટીઆઈના અહેવાલ મુજબ, ગોયલે કહ્યું કે 'ભારત પ્રથમ' એ અમારો મંત્ર અને માર્ગદર્શક સિદ્ધાંત છે. અમેરિકા સાથેની વેપારી વાતચીતની વિગતો જણાવવાનો ઇનકાર કરતાં તેમણે ઉમેર્યું કે ભારત અનેક દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે, જે સકારાત્મક દિશામાં સરળતાથી આગળ વધી રહી છે.

