Vande Bharat: હાલમાં દેશમાં કુલ 14 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે. કેન્દ્ર સરકારે આ ટ્રેન વર્ષ 2019માં શરૂ કરી હતી. ત્યારથી તે દેશના ઘણા માર્ગો પર ચલાવવામાં આવી રહી છે. સરકાર ટૂંક સમયમાં વધુ 31 ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહી છે. તે જ સમયે, 15 ઓગસ્ટ, 2023 સુધીમાં, સરકારે કુલ 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તે એક સ્વદેશી સેમી-હાઈ સ્પીડ અને સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેન સેટ છે. તે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અગાઉ તેનું નામ ટ્રેન 18 હતું. તેને ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં બનાવવામાં આવ્યું છે.

