આજના ઝડપી જીવનમાં પૈસાની વાત આવે તો બધા જ બેંક ખાતાની વાત કરીએ છીએ, પણ જો તમારું જનધન ખાતું બે વર્ષથી બંધ પડેલું હોય તો? આવી સ્થિતિમાં તમે સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જાઓ છો. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) ને લઈને આજે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં કુલ 54.55 કરોડ જનધન ખાતાં ખુલ્યા છે, પણ તેમાંથી 26 ટકા, એટલે કે 14.28 કરોડ ખાતાં નિષ્ક્રિય બની ગયા છે. આ આંકડો છેલ્લા વર્ષના 21 ટકાથી પણ વધુ છે, જે વિત્તીય સમાવેશની દિશામાં મોટો પડકાર તરીકે દેખાઈ રહ્યો છે.

