Clean energy: પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના (PMUY) એ ભારતના ગરીબ પરિવારો માટે સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જાનો દરવાજો ખોલ્યો છે. 2016માં શરૂ થયેલી આ યોજનાએ દેશભરમાં 1 કરોડથી વધુ પરિવારોને LPG કનેક્શન આપીને નવો ઇતિહાસ રચ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ લાકડાં, કોલસો અને ગાયના છાણ જેવા પરંપરાગત ઇંધણની જગ્યાએ સ્વચ્છ LPG ગેસનો ઉપયોગ વધારવાનો હતો, જેનાથી આરોગ્ય અને પર્યાવરણ બંનેને ફાયદો થયો છે.

