જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે અને તેમાં કોઈ અપડેટ કરાવ્યું નથી, તો હવે સમય આવી ગયો છે કે તમે તેને રી-વેરિફાય અને અપડેટ કરાવો. ભારત સરકારના યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલ નિર્દેશ મુજબ, જૂના આધાર કાર્ડનું અપડેશન નહીં કરાવવાથી રાશન, LPG સબસિડી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), અને પેન્શન જેવી મહત્વની સરકારી સેવાઓ બંધ થઈ શકે છે.