Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરતી વખતે દેશના અલગ-અલગ સેક્ટર્સ માટે મહત્વની જાહેરાતો કરી છે. આ બજેટમાં સરકારે સડક દુર્ઘટનાનો ભોગ બનનારા લોકો અને તેમના પરિવારોને એક મોટી રાહત આપી છે. સરકારે મોટર એક્સિડન્ટ ક્લેમ (વાહન અકસ્માત વળતર) પર મળતા વ્યાજને લઈને નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી વીમાધારકોને સીધો ફાયદો થશે.

