રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું કે આગામી કેન્દ્રીય બજેટ ભવિષ્યનો દસ્તાવેજ હશે. બજેટમાં તમામ સુધારાઓને ઝડપથી આગળ ધપાવવાની જોગવાઈ હશે. 18મી લોકસભાની રચના બાદ સંસદના સંયુક્ત સત્રને પોતાના પ્રથમ સંબોધનમાં નવા સાંસદોને અભિનંદન આપતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે લોકોના પ્રતિનિધિઓ એક માધ્યમ તરીકે કામ કરશે.

