Ahmedabad plane crash: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં AAIB (Aircraft Accident Investigation Bureau) દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક રિપોર્ટની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, આ પહેલીવાર છે જ્યારે બ્લેક બોક્સનો ડેટા ભારતમાં જ ડિકોડ કરવામાં આવ્યો છે, જે એક મોટી સફળતા છે. આ ઘટનામાં વિદેશી મીડિયા રિપોર્ટ્સ દ્વારા પાયલટોને દોષી ઠેરવવાના પ્રયાસોને મંત્રીએ નકારી કાઢ્યા છે અને AAIBની તપાસ પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે.