Get App

અજિત પવારની અંતિમ સફર: પ્લેન ક્રેશ પહેલાનો છેલ્લો ફોટો આવ્યો સામે, ઘડિયાળ પરથી થઈ મૃતદેહની ઓળખ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન. દુર્ઘટના પહેલાની છેલ્લી તસવીર આવી સામે. જાણો બારામતીમાં બનેલી દુર્ઘટનાની છેલ્લી 36 મિનિટની સંપૂર્ણ વિગત અને કઈ રીતે થઈ મૃતદેહની ઓળખ.

MoneyControl Newsઅપડેટેડ Jan 28, 2026 પર 7:11 PM
અજિત પવારની અંતિમ સફર: પ્લેન ક્રેશ પહેલાનો છેલ્લો ફોટો આવ્યો સામે, ઘડિયાળ પરથી થઈ મૃતદેહની ઓળખઅજિત પવારની અંતિમ સફર: પ્લેન ક્રેશ પહેલાનો છેલ્લો ફોટો આવ્યો સામે, ઘડિયાળ પરથી થઈ મૃતદેહની ઓળખ
ઘડિયાળ અને કપડાંથી થઈ ઓળખ દુર્ઘટના એટલી ભીષણ હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારના નિધનના સમાચારથી રાજકીય જગત સ્તબ્ધ છે. આજે સવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના થોડા સમય પહેલાની તેમની એક તસવીર સામે આવી છે, જે હવે તેમની 'આખરી તસવીર' બનીને રહી ગઈ છે.

બોડીગાર્ડ સાથેની છેલ્લી તસવીર વાયરલ અજિત પવાર આજે મુંબઈથી બારામતી એક જનસભામાં સંબોધન કરવા માટે નીકળ્યા હતા. સામે આવેલી તસવીરમાં તેઓ વિમાનમાં પોતાના બોડીગાર્ડ સાથે બેઠેલા જોવા મળે છે. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, આ તસવીર પ્લેન ટેક-ઓફ થયું તેની મિનિટો પહેલાની જ છે. કોઈને કલ્પના પણ નહોતી કે આ તેમની છેલ્લી ઉડાન સાબિત થશે.

છેલ્લી 36 મિનિટની કરૂણ કહાની

સવારે 8:10 અજિત પવારના વિમાને મુંબઈથી ઉડાન ભરી.

સવારે 8:32 વિમાન પુણેના રસ્તે બારામતી તરફ જતું દેખાયું.

સવારે 8:35 વિમાન બારામતી પહોંચ્યું, પરંતુ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે પાયલટે લેન્ડિંગ ટાળ્યું.

સવારે 8:46 (દુર્ઘટના)

બધા સમાચાર

+ વધુુ વાંચો