CharDham Yatra 2026: ઉત્તરાખંડમાં આ વર્ષે એપ્રિલ મહિનાથી શરૂ થયેલી પવિત્ર ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. રવિવારે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, યાત્રાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 31 લાખથી વધુ ભક્તો ચારેય પવિત્ર ધામના દર્શન કરી ચૂક્યા છે. જોકે, આ ભક્તિમય માહોલ વચ્ચે એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક અહેવાલ પણ સામે આવ્યો છે કે, યાત્રા દરમિયાન ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોસર 161 શ્રદ્ધાળુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

