Coronavirus Updates: ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ફરી વધવા લાગી છે. દેશમાં એક જ દિવસમાં 1573 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,47,07,525 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટામાંથી મળેલી માહિતી અનુસાર દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10,981 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 4 લોકોના મોત થયા છે. આ તમામ લોકો કેરળના રહેવાસી છે. કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,841 લોકોના મોત થયા છે.

