Coronavirus Updates: દેશમાં ફરી એકવાર કોરોનાનો ફેલાવો શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 5880 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણને કારણે 12 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 35,199 થઈ ગઈ છે. રોજનો પોઝિટિવિટી રેટ વધીને 6.91 ટકા થઈ ગયો છે. એટલે કે દર 100 ટેસ્ટમાંથી લગભગ 7 લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર વધીને 3.67 ટકા થઈ ગયો છે. આ પહેલા રવિવારે 5357 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ શનિવારે 6155 નવા કેસ નોંધાયા છે.

