Ayodhya Ram Mandir, Dharma Dhwaj: અયોધ્યામાં ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર સ્થાપિત થનારા પવિત્ર 'ધર્મ ધ્વજ' અને 21 કિલોગ્રામ સોનાથી મઢેલા ધ્વજદંડની પ્રથમ તસવીરો સામે આવી છે. કેસરિયા રંગનો આ ધ્વજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિખર પર આરોહિત કરવામાં આવશે, જે રામ મંદિરના નિર્માણ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય રચશે. ખાસ વાત એ છે કે, શિખર પર લગાવવામાં આવેલો ધ્વજદંડ અને ધ્વજા બંને અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યા છે, જે ગુજરાત માટે ગર્વનો વિષય છે.

