Get App

નેપાળમાં જળપ્રલયનો કહેર: હાઇડ્રો પ્રોજેક્ટની ટનલમાં 900થી વધુ ફસાયા, 903ના મોત, જાણો રેસ્ક્યૂ ઓપરેશનની લેટેસ્ટ અપડેટ

Nepal Rescue Operation: નેપાળમાં આવેલા વિનાશક પૂરના કારણે 903 લોકોના મોત થયા છે અને 4200થી વધુ લાપતા છે. હાઇડ્રો પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા સેનાનું મેગા ઓપરેશન ચાલુ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 31, 2026 પર 12:26 PM
નેપાળમાં જળપ્રલયનો કહેર: હાઇડ્રો પ્રોજેક્ટની ટનલમાં 900થી વધુ ફસાયા, 903ના મોત, જાણો રેસ્ક્યૂ ઓપરેશનની લેટેસ્ટ અપડેટનેપાળમાં જળપ્રલયનો કહેર: હાઇડ્રો પ્રોજેક્ટની ટનલમાં 900થી વધુ ફસાયા, 903ના મોત, જાણો રેસ્ક્યૂ ઓપરેશનની લેટેસ્ટ અપડેટ
આ હોનારતમાં સૌથી વધુ નુકસાન હાઇડ્રોપાવર સેક્ટરને થયું છે. પ્રાપ્ત આંકડા મુજબ, વિવિધ હાઇડ્રો પ્રોજેક્ટ્સમાંથી કુલ 933 લોકો લાપતા છે. આમાંથી 537 લોકો તો માત્ર 9 પ્રોજેક્ટના જ કર્મચારીઓ છે.

Nepal Rescue Operation: નેપાળ પૂર અપડેટ: પડોશી દેશ નેપાળમાં આવેલા વિનાશક પૂર અને હિમસ્ખલને ભારે તારાજી સર્જી છે. તિબેટ બોર્ડર પાસે 26 ઓગસ્ટના રોજ આવેલા આ જળપ્રલયે ઉત્તર અને મધ્ય નેપાળના ગામડાઓનો નકશો બદલી નાખ્યો છે. પૂર અને કાટમાળના કારણે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં કામ કરતા સેંકડો મજૂરો અને કર્મચારીઓનો કોઈ અતોપતો નથી. નેપાળ પ્રશાસન અને સેના દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.

હાઇડ્રો પ્રોજેક્ટની ટનલમાં જિંદગીની શોધ

આ હોનારતમાં સૌથી વધુ નુકસાન હાઇડ્રોપાવર સેક્ટરને થયું છે. પ્રાપ્ત આંકડા મુજબ, વિવિધ હાઇડ્રો પ્રોજેક્ટ્સમાંથી કુલ 933 લોકો લાપતા છે. આમાંથી 537 લોકો તો માત્ર 9 પ્રોજેક્ટના જ કર્મચારીઓ છે. બચાવ કામગીરી દરમિયાન સેનાને ‘અપર ત્રિશુલી-3A' હાઇડ્રોપાવર પ્રોજેક્ટની એક ટનલનો છેડો મળ્યો છે. નેપાળી સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, નિષ્ણાતોની ટીમને ટનલના ઉપરના ભાગે 2x3 ફૂટનું એક કાણું મળ્યું છે. સેનાના એક્સપર્ટ્સ ઓક્સિજન સિલિન્ડર સાથે આ સાંકડી જગ્યામાંથી અંદર જઈને ફસાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં ટનલનો રસ્તો પહોળો કરવાનું કામ ચાલુ છે, જેથી વધુ એક્સપર્ટ્સ અંદર જઈ શકે. જોકે, હજુ સુધી અંદરથી કોઈના જીવંત હોવાના સંકેત મળ્યા નથી.

મૃતકોનો આંકડો 903 પર પહોંચ્યો, 4250 હજુ લાપતા

નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના 31 ઓગસ્ટના રિપોર્ટ મુજબ, આ કુદરતી આફતમાં મૃત્યુઆંક વધીને 903 થઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ પણ 4,247 લોકો લાપતા છે, જેમાં 85 સુરક્ષાકર્મીઓ અને 320 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

કયા જિલ્લામાંથી કેટલા મૃતદેહ મળ્યા?

બધા સમાચાર

+ વધુુ વાંચો