India Nuclear Reactor: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) એ ભારતની નૌસેના માટે એક મોટું પગલું ભર્યું છે. BARC એ 200 MWeનું નવું ન્યૂક્લિયર રિએક્ટર વિકસાવ્યું છે, જે INS અરિહંત અને INS અરિઘાતમાં વપરાતા 83 MWe રિએક્ટર કરતાં બમણું શક્તિશાળી છે. આ રિએક્ટર S5 ક્લાસ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન (SSBN) અને પ્રોજેક્ટ 77 ન્યૂક્લિયર અટેક સબમરીનમાં ઉપયોગમાં લેવાશે. આનાથી ભારતની સબમરીનની સહનશક્તિ અને મિશનનો સમય નોંધપાત્ર રીતે વધશે.