સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની ફરિયાદ પર નોંધાયેલા વીમા કૌભાંડ કેસમાં કાર્યવાહી શરૂ કરી છે. આ ક્રમમાં, CBIએ બુધવારે કથિત વીમા કૌભાંડ કેસના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના તત્કાલિન સહાયકના ઘર અને દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરમાં અન્ય આઠ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, CBI ઈન્સ્યોરન્સ કેસમાં સત્યપાલ મલિકના તત્કાલીન પ્રેસ સેક્રેટરી સુનક બાલીના દિલ્હી સ્થિત ઘરે દરોડા પાડી રહી છે.

